કળા: જે આનંદ આપે તે કળા. અંગ્રેજીમાં કળા માટે ‘ART’ નહિં પણ ‘ARTS’ શબ્દ પ્રયોજાયેલ છે, જેનો અર્થ પણ શિક્ષણ મેળવવું, કેળવવું, જ્ઞાન પ્રાપ્ત કરવું એવો થાય છે.
ભાગવત પુરાણમાં, કૃષ્ણ અને બલરામ બે ભાઈઓએ, ૬૪ દિવસમાં ૬૪ કળાઓ શીખ્યાનો ઉલ્લેખ છે. બૌદ્ધ અને જૈન ધર્મના ગ્રંથોમાં પણ કળા શબ્દનો વારંવાર ઉપયોગ થયેલો છે. ‘લલિતવિસ્તાર’માં બુદ્ધે ઘણી કળાઓ શીખ્યાનો ઉલ્લેખ છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રમણ મહાવીરે ૭૨ કળાઓની કેળવણી લીધી તેનું વર્ણન છે. ત્યારબાદ મહાભારત અને રામાયણમાં પણ કળાનો ઉલ્લેખ છે. અયોધ્યાકાંડમાં ઉદાસ ભરતને પ્રસન્ન કરવા તેના મિત્રો ગાયન, વાદન, નૃત્ય, અને નાટકનું આયોજન કરે છે. રાવણના અંત:પુરમાં કુશળ ગાયક એવી સ્ત્રીઓ હતી. ગુપ્તવાસ દરમિયાન અર્જુન ગાયન અને નૃત્ય વિદ્યા શીખે છે, તેનો પણ ઉલ્લેખ છે.
ત્યારબાદના સમયમાં સંસ્કૃતના કવિઓ અને વિદ્વાનો જેવા કે ભાસ, કાલિદાસ, શુદ્રક, ભવભૂતિ અને બાણ જેવાએ તેમની રચનામાં તેમના પાત્રોને ગીત, વાદન, નૃત્ય, કે ચિત્રકામ જેવી કળાઓમાં નિપુણ દર્શાવેલ છે. કળાઓની સૌથી અધિક પ્રામાણિક સૂચિ “કામસૂત્ર”માં આપવામાં આવેલી છે
કળા એક એવી માનવીય ક્રિયા છે જે ધ્યાન, મનન ચિંતન, અથવા અભિવ્યક્તિ દ્વારા ઇન્દ્રિયોને સુખ પહોંચાડે છે. અધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જોઈએ તો કળા, એ આત્મકલ્યાણનું સાધન છે.
યુરોપીય સાહિત્યમાં પણ કળા શબ્દનો પ્રયોગ શારીરિક કે માનસિક કૌશલ માટે જ અધિકતર થયેલો જોવા મળે છે. ત્યાં પ્રકૃતિ અને કળાનું કાર્ય ભિન્ન છે એવું માનવામાં આવે છે. કળાનો અર્થ છે રચના કરવી અર્થાત્ રચના કૃત્રિમ હોય છે. પ્રાકૃતિક સૃષ્ટિ અને કળા બન્ને ભિન્ન વસ્તુઓ છે. કળા એવા કાર્યમાં હોય છે જે મનુષ્ય કરે છે. કળા અને વિજ્ઞાનમાં પણ અંતર ગણવામાં આવે છે. વિજ્ઞાનમાં જ્ઞાનનું પ્રાધાન્ય હોય છે, જયારે કળામાં કૌશલ્યપૂર્ણ માનવીય કાર્યનું. કૌશલવિહીન અથવા ખરાબ ઢંગથી કરવામાં આવેલા કાર્યોને કળામાં સ્થાન આપવામાં આવતું નથી ઇન્દ્રિયોને સુખ પહોંચાડે તે કળા છે.
લલિતકળા અને ઉપયોગીકળા (યાંત્રિક કળા): પ્રાચીન સમયમાં લલિતકળા કે ઉપયોગીકળા એવો કોઈ ભેદ પ્રવર્તતો ન હતો. તે સમયે જે કામમાં થોડી હોશિયારી, હુન્નર, નિપુણતા કે, કૌશલ્યની (Skill-સ્કીલ), જરૂર પડતી તે બધા કામોનો સમાવેશ કળામાં કરવામાં આવતો, જેમ કે સુથારીકામ, રસોઈકળા, કાષ્ટકળા, ચર્મકળા, ચિત્રકળા વગેરે. પરંતુ એરિસ્ટોટલ અને તેના પછીના સમયમાં કળાના બે ભેદ પાડવામાં આવ્યા -લલિતકળા અને ઉપયોગીકળા.
લલિતકળા (Fine-Arts)નો ઉદ્દેશ ફક્ત આનંદ આપવાનો છે, જેનાથી બ્રહ્મ સહોદર આનંદ (ઈશ્વર પ્રાપ્તિનો આનંદ) મળે છે. લલિતકળા (Fine Arts)માં સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત અને સાહિત્યનો સમાવેશ થાય છે. જ્યારે જે કામમાં કોઈ કસબ, કે ક્રાફ્ટસમેનશીપની જરૂર પડે અને જેમાંથી જીવન જરૂરિયાતની વસ્તુઓનું નિર્માણ થતું હોય તેને ઉપયોગીકળા (Useful-Art), લલિતેતર કળા, યાંત્રિકકળા (Mechanical-Art), કોમર્શિઅલ આર્ટ (Commercial-Art), અથવા યુટીલીટેરિયન આર્ટ (Utilitarian-Art) કહેવામાં આવે છે. લલિતેતર કળામાં સુથારીકામ, ભરતગૂંથણ, સીવણકામ, લુહારકામ, મોચીકામ, કુંભારકામ, સોનીકામ, દરજીકામ વગેરેનો સમાવેશ થાય છે.
લલિતકળાને ભૌતિક ઉપયોગીતા સાથે કોઈ સંબંધ નથી. તે માણસને ઉચ્ચ કોટિનો આનંદ (Aesthetic Pleasure) આપે છે અને તેના નૈતિક, બૌદ્ધિક વિકાસ સાથે સબંધ ધરાવે છે; જયારે લલિતેતર કળાને માનવ જીવનની ભૌતિક ઉપયોગીતા સાથે સીધો સબંધ છે અને તે માણસના શારીરિક અને ભૌતિક સુખ સાથે ગાઢ રીતે જોડાયેલી છે.
કળાકાર (Artist) અને કસબી / કારીગર (Artisan): લલિતકળાઓનો પ્રધાન ઉદ્દેશ સૌંદર્યનિર્માણ દ્વારા ભાવાત્મક આનંદ આપવાનો છે અને લલિતકળાના આરાધક ‘કળાકાર (Artist)’ તરીકે ઓળખાય છે; જયારે લલિતેતર કળાઓનો ઉદ્દેશ માણસની પ્રાથમિક જરૂરિયાતો સંતોષીને માનવજીવનને સગવડતાભર્યું બનાવવાનો છે (તેથી તેને Useful-Art કહે છે) અને લલિતેતર કળાના પ્રયોજક ‘કસબી / કારીગર (Artisan)’ તરીકે ઓળખાય છે
સૌદયૅશાસ્ત્ર
કળા, કલાકાર અને કારીગર
વકતા : ડો, ભરત. દેસાઈ.
' ગુજરાત સાહિત્ય ફોરમ ' દ્વારા આયોજીત સૌદયૅ શાસ્ત્ર પર ભરતભાઈ. દેસાઈ. નું વકતવ્ય ખૂબ જ અદ્ભુત અને તલસ્પર્શી જ્ઞાન આપતું રહયું. તેના શબ્દો માં સૌદયૅ ને કળા ભારોભાર છુપાયેલા છે તેનો તો વકતવ્ય માણ્યા પછી ખ્યાલ આવ્યો.
સૌદયૅ શાસ્ત્ર નું વિવરણ કરતાં જણાવ્યું કે શાસ્ત્ર એટલે જ્ઞાન નો સમૂહ ને ઇન્દ્રિયો દ્વારા સુખની અનુભૂતિ થાય તે સૌદયૅ
આપણા વેલની ચાર ધારા
1. આધ્યાત્મિક
2. દર્શન
3. તત્વ જ્ઞાન
4. ગુપ્ત જ્ઞાનમાં
સૌદયૅ શાસ્ત્ર છુપાયેલું છે. સૌદયૅ નો ગુણસૂત્ર સકારાત્મક છે જે સુખ ની અનુભૂતિ કરાવે છે. ભારતીય પરિભાષા કલા પરથી કળવું / પામવું. ક એટલે આનંદ લા - આપવું . વાહ ખૂબ સુંદર.!!!
કળા ના ઘણાં પ્રકાર ને અથૅ
1.સમય નું માપ- ચંદ્ર કળા
2 છંદમાં
3.મયૂર કળા
4.હુન્નર
5. આકષૅક નિર્માણ
વિદ્વાનો એ પોતપોતાના અનુભવો ના આધારે વ્યાખ્યા કરી છે.
ગેટે, રવિન્દ્રનાથ ટાગોર, પ્લુટો, ટોલસટોય ના મંતવ્યો નો સાર એટલો જ કળા એટલે સત્ય ની અનુભૂતિ.
ચારે ય વેદ, ભાગવત માં પણ કળા નો સમાવેશ છે.
શ્રી કૃષ્ણ 64 દિવસ માં 64 કળા ના જાણકાર થયા હતા . કૃષ્ણ બધી જ કળામાં જેવી કે વાંસળી વાદન, નૃત્ય, રાસ, શ્રૃંગાર ને રાજકારણમાં નિપૂણતા ધરાવતા હતા.
બૌધ્ધ ને જૈન ધમૅ માં તેનો ઉલ્લેખ છે.વાત્સાયન ને ઉશનસ્ એ પણ 64 કળા વણૅવી છે.
Modern Technology પણ ભૌતિક કળા જ છે.
લલિતકળા ને વણૅવી જણાવ્યું દ્રષ્ટિ , શ્રવણ દ્વારા આનંદ આપનારી કળા તે લલિતકળા. દ્રષ્ય ને શ્રવણ કળા ને ચલ ને અચલ વિભાગ માં વહેંચી શકાય. પણ શ્રવણ ચલ જ હોય.
લલિતકળા ને બે વિભાગમાં વહેંચી શકાય.
1. ઉપભોગ - નિર્ભેળ આનંદ માટે
2. ઉપયોગ વ્યાવસાયિક ધોરણે.
સુથારી કામ, ચિત્રકામ,સિવણ,, માટીકામ, દરજીકામ વિ. કળા ના આરાધક ને કલાકાર કહેવાય.
સૌદયૅ શાસ્ત્ર એ લલિતકળા નું દશૅન ને વિજ્ઞાન છે. કળા નું પ્રશિક્ષણ બે દ્રષ્ટિથી થાય છે.
1 ઉપાસના
2. વ્યવસાયીલક્ષી.
બંને માં કૌશલ ની આવશ્યકતા. કળા ની ઉપાસના એટલે નરસિંહ મહેતા ને મીરાં આંખ સામે આવે.
વ્યવસાય દક્ષા અર્થોપાજન માટે. પણ તે કયારેક લોભ, સ્વાથૅ માં પરિવર્તિત થઇ શકે છે.
આમ સૌદયૅ શાસ્ત્ર માં આવરી લેવામાં આવેલા મુદ્દા, તેના વિભાગો ને પેટાવિભાગોના વિષયો માં ધીરગંભીર અવાજે અપાયેલી માહિતી, વિષય ની ગહનતા ને સાહજિકતાથી વણૅવવી તે તો
ભરતભાઈ ની જ કળા. વાક્ચાતુયૅ ભારોભાર એટલે કળાકાર. વળી સિતારવાદક.
કળા, કળાકાર ને કસબી નો ત્રિવેણી સંગમ એટલે ભરતભાઈ પોતે એમ કહેવું જરાય અસ્થાને નથી.
આભાર ભરતભાઈ ખૂબ સુંદર.
કોકિલા બહેન અને GSF ટીમનો ખૂબ ખૂબ આભાર.
Bharat Desai holds multiple degrees, including a B.E. in Electronics, D.P.A. in Sitar, PG in Quality Management (USA), B.P.A., Master in Performing Arts in Indian Classical Music, and a Ph.D. He was awarded a Ph.D. degree by M.S. University of Baroda, Vadodara for his thesis on "Fulfillment of Desired Features of Sitar in Utility of Live Concerts of Contemporary Music - An Analytical Study."
He has published research papers in national and international magazines on topics such as the characteristics of the nature of sound for sitar, types of microphones used in music, and the impact of synthesized digital musical instruments on acoustic musical instruments.
As an author, he has written books on computer hardware, a featured futuristic sitar called "Bharatar," and "સૌંદર્ય શાસ્ત્ર – સંગીતના પરિપ્રેક્ષ્યમાં" (Aesthetics - in the context of Music).
Bharat Desai is the founder of "My Music Club," a group where individuals from various professional fields with a common interest in music come together to play and enjoy music purely for self-enjoyment, without any commercial aspect.
He has also invented a new musical instrument called the "BharaTar" and launched an instrumental music album titled "Folks on the String" in 2019.
Professionally, Bharat Desai serves as a Director at ab's Desh Infotech Pvt. Ltd., a leading IT company with 27 years of industry experience. He also works as an AV consultant and acoustician at SOUND BLISS, a company specializing in home theatre, auditorium, and theatre sound systems.