કયાં સુધી મુરલીધરને વાંસળીમાં શોધીશું

હિરેન પરીખ

February 7, 2023

કયાં સુધી માધવને મટકીફોડમાં શોધીશું ,

કયાં સુધી કનૈયાને પીતાંબરમાં શોધીશું .

ક્યાં સુધી કેશવને લાંબા,કાળા વાળમાં શોધીશું,

ક્યાં સુધી શ્યામસુંદરને શ્યામ રંગમાં શોધીશું.

ક્યાં સુધી સુદર્શનને સુંદર સ્વરૂપ~ રુપાળાવાનમાં શોધીશું ,

ક્યાં સુધી બાલ ગોપાલને બાળ સ્વરૂપમાં શોધીશું,

ક્યાં સુધી નારાયણનાં શરણને શોધીશું ,

ક્યાં સુધી જ્ઞાનેશ્વવરનાં જ્ઞાનને શોધીશું,

ક્યાં સુધી પાર્થસારથિને લગામ પકડેલો શોધીશું,

ક્યાં સુધી ગોપાલને ગાયો ચરાવતાં શોધીશું ,

ક્યાં સુધી વાસુદેવને વિશ્વમાં શોધીશું ,

ક્યાં સુધી કદંબની ડાળો પર શોધીશું ,

ક્યાં સુધી યમુનાનાં જળમાં શોધીશું ,

ક્યાં સુધી વ્રજમાં શોધીશું .,

ક્યાં સુધી ગોકુળમાં ગલીઓની વચ્ચે શોધીશું ,

કયાં સુધી મથુરાનાં ઘાટ ઊપર શોધીશું ,

ક્યાં સુધી ગોપીઓ જોડે રાસ રમતાં શોધીશું ,

ક્યાં સુધી ચંદ્રલોક બ્રહ્માંડે શોધીશું ,

ક્યાં સુધી જતીપુરાના લોકો વચ્ચે શોધીશું ,

ક્યાં સુધી ગોવર્ધનની પરિક્રમામાં શોધીશું ,

ક્યાં સુધી અષ્ટ પ્રહર શોધીશું ,

ક્યાં સુધી જન્માષ્ટમીની રાત્રે શોધીશું,

ક્યાં સુધી સોળ શણગારમાં શોધીશું,

ક્યાં સુધી મોરપીંછમાં શોધીશું,

કયાં સુધી સુદર્શન ચક્ર સાથે શોધીશું,

કયાં સુધી માથાનાં મુગટમાં , નાકની નથણીમાં ,ડોકનાં હારલામાં ,હાથની પોંચી ,પગનાં ઝાંઝરામાં,    પીળા પીતાંબરમાં , કાનના કુંડળીમાં , મંદિરનાં ગર્ભગૃહમાં શોધીશું .

ક્યાં સુધી જશોદાજીની મમતામાં , દેવકીની વ્યથામાં શોધીશું ,

કયાં સુધી રુક્મિણીની અંગતતાં અને રાધાનાં પ્રેમમાં શોધીશું,

કયાં સુધી માખણ મીસરી~ દુ:ખમાં શોધીશું,

ક્યાં સુધી મીરાંબાઈ , નરસિંહ મહેતાના ભજનોમાં શોધીશું ,

કયાં સુધી અર્જુનની વ્યથા શોધીશું,

કયાં સુધી ભર દરબારમાં દ્રૌપદી  અનુભવેલી એકલતાં અને મહાભારતનાં પાત્રતા અને યુદ્ધની પરાકાષ્ઠામાં શોધીશું.

તો બોલો હવે:~~

•••કેવી રીતે શોધીશું ? આ જન્માષ્ટમીની આ એક દિવસની ઊજવણીમાં, રાતનાં બારવાગે થતાં એ જન્મદર્શનની લાઈનોની ધક્કામુક્કીમાં , જાત્રાનાં સ્થળોએ ઊભી થતી ગેરવ્યવસ્થાઓમાં,

બોલો , બોલો ,,,કેવી રીતે  પામીશું ? એ તમારાં વહાલાં શ્રી કૃષ્ણને , કાનુડાને .

ક્યાં સુધી આવી રીતે શોધીશું ? કયાં કયાં શોધીશું ?

•••અરે મારા વહાલાઓ ,

શ્રી કૃષ્ણ જન્મની વધાઈઓ ગાવાં થનગનાટ પામી રહેલાં પરમ ભક્તો,

અરે ,જરાં મને સાંભળો તો ખરાં ,

શ્રી કૃષ્ણને શોધવાં જ છે તો ચાલો,

ગરીબીની ભૂખમાં શોધીએ ,હોસ્પિટલની પથારી પર પડેલ દરદીની ચાકરીમાં શોધીએ, શરીર ઢાંકવાં જેટલાં પણ કપડાં નથી જેની પાસે તેની લાચારીમાં શોધીએ.

•••મારા પ્રિયો ,

શ્રી કૃષ્ણને શોધવાં જ છે તો ચાલો,

એરપોર્ટ પર શોધીએ , બસ સટેન્ડ પર શોધીએ, રેલવે સ્ટેશન પર શોધીએ ,કારણ એ ભગવાન શ્રી કૃષ્ણએ પણ હવે યાત્રા કરવાનું સાધન ~ *mode of transportation* બદલ્યું જ હશે , ક્યા સુધી ઘોડાવાળા રથમાં જ..

•••ઓ મારાં ભગવાન શ્રી કૃષ્ણનાં શુભેચ્છકો  ,

શ્રી કૃષ્ણને શોધવાં જ છે તો ચાલો, તમારાંમાં શોધીએ , મારાંમાં શોધીએ , આપણાંમાં શોધીએ . આપણાંપણાંમાં શોધીએ .

શ્રી કૃષ્ણને શોધવાં જ છે તો ચાલો, માનવતાંમાં શોધીએ . પ્રાણીમાત્ર પ્રત્યે કરુણાં અને પ્રેમમાં  શોધીએ, જીવનમાં શોધીએ .

શ્રી કૃષ્ણને શોધવાં જ છે તો ચાલો સાથે ભેગાં મળીને શોધીએ.

કુરુક્ષેત્રમાં શ્રી કૃષ્ણનાં મુખે  ગવાયેલી *શ્રીમદ્ ભગવદ્ ગીતા*ના એ અપાર જ્ઞાનમાં જ શોધીએ.

યોગીને શોધવો જ હોય તો *યોગ*માં જ શોધીશું ~ કર્મયોગનાં કર્મનાં સિધ્ધાંતમાં શોધીશું .