Siddharth Chhaya

Speaker

સિદ્ધાર્થ છાયા એક લેખક છે જેમની ત્રણ નવલકથાઓ શાંતનુ,સુનેહા અને સૌમિત્ર પ્રકાશિત થઇ છે તે ઉપરાંત તેમનો એક કટાક્ષ કથાઓનો સંગ્રહ ઊડતાં તીર પણ પ્રકાશિત થયો છે. હાલમાં માતૃભારતી એપ પર તેમની ચોથી નવલકથા સુંદરી હપ્તાવાર ચાલી રહી છે. સિદ્ધાર્થ છાયા અમદાવાદ ખાતે કન્ટેન્ટ રાઈટર તરીકે કાર્યરત છે તે ઉપરાંત તેઓ echhapu.com ના એડિટર-ઇન-ચીફ પણ છે. સિદ્ધાર્થભાઈને ક્રિકેટ તેમજ હિન્દી ફિલ્મો જોવાનો તેમજ તેમના વિષે વિવેચન કરવાનો શોખ છે. આ ઉપરાંત તેઓ અમિતાભ બચ્ચન, કિશોર કુમાર, આર ડી બર્મન તેમજ સુનિલ ગાવસ્કરના આકંઠ ચાહક પણ છે. સિદ્ધાર્થભાઈના ક્રિકેટ પર આધારિત લગભગ ૧૨ જેટલા આર્ટીકલ્સ માતબર ગુજરાતી અઠવાડિક ચિત્રલેખામાં પ્રકાશિત થયા છે અને સમયાંતરે તેઓ ચિત્રલેખા માટે સ્પોર્ટ્સ પર આધારિત આર્ટીકલ્સ લખતા રહે છે.