4 December 2022 | 09:00 pm IST | 03:30 pm UK | 11:30 am EST (USA) | 10:30 am CST | 08:30 am PST

About

Speaker




Tushar A. Gandhi

President, Mahatma Gandhi Foundation



Tushar Arun Gandhi, is the son of journalist Arun Manilal Gandhi, grandson of Manilal Gandhi and great-grandson of Mahatma Gandhi.

Born on a train between Mumbai and Kolkata, he was raised in the Mumbai suburb of Santacruz. He studied at Adarsh Vinay Mandir, a local Gujarati-medium school. He holds a diploma in printing from the Government Institute of Printing Technology, Mumbai.

Tushar Gandhi is best known for having established in 1998 in Vadodara, Gujarat the Mahatma Gandhi Foundation. It is now located in Mumbai (and he is still its President). Since 1996 he has served as President of the Lok Seva Trust, an NGO which a nephew of Mahatma Gandhi had establish in central Bombay in the mid-1950s for the welfare to textile-mill labourers. In 2000, Tushar Gandhi portrayed himself in a fictional Tamil - Hindi movie directed by Kamal Hassan, "Hey Ram," and in 2009 he did likewise in a semi-fictional movie, "Road to Sangam," based on an episode in his own life. A nonfiction book by him, Let's Kill Gandhi, was published in 2007 and became for a few weeks a best seller in India. In 2008 he was appointed Chairman of the Australian Indian Rural Development Foundation (AIRDF). In 2018 he played a significant role in petitioning successfully the Supreme Court of India to direct the states and Union Territories to comply with its orders to curb cow-vigilante lynch mobs. In 2019 he became a Director of the Gandhi Research Foundation, Jalgaon, Maharashtra.


Pratibhav

પ્રતિભાવ

ગુજરાતી સાહિત્ય ફોરમ આજની યુવા પેઢી ગાંધીજી ના જીવનના મૂલ્યો ને સમજે તે માટે અવાર નવાર તેમના જીવન દર્શન પર વક્તવ્ય નું આયોજન કરે છે. તે નિમિત્તે યોજાયેલા વક્તવ્ય નો વિષય હતો ગાંધીજી અને યુવા પેઢી , વક્તા હતા ગાંધીજી ના પ્રપૌત્ર તુષાર ગાંધી.

આજનો યુવા વર્ગ ગાંધીજી ની વાતો, તેમના આદર્શો પ્રત્યે ઉદાસીનતા દાખવે છે. તેમની વાતો માં અતિશયોક્તિ છે તેવી ભ્રમણા માં રાચે છે. તેને માટે બાપુ પછીની પેઢી જ જવાબદાર છે. બાપુ નેઆપણે મહાત્માગાંધી તરીકે તેમના પર થોપી દીધા છે. બાપુને સમજાવવા હોય તો તેમની બાલ્યાવસ્થા થી લઈને યુવાવસ્થા સુધીની તેમની જિંદગી ની સફરનો પરિચય કરાવવો પડે. બાળપણ નો મોનિયો થી યુવાવસ્થા ના બારિસ્ટર તરીકે સામાન્ય માનવી જ હતા. નાનપણ માં કરેલી ભૂલો તેનું પ્રાયશ્ચિત , અભ્યાસ દરમ્યાન પડેલી મુશ્કેલી, શરૂઆતમાં વકીલતરીકે ની નિષ્ફળતા સામાન્ય માનવીના જીવન દરમ્યાન બનેલા ઘટનાક્રમ જ હતા.

બાપુ હતા ત્યારે તેમની આસપાસના લોકો જેમણે બાપુ નો સહવાસ માણ્યો હતો, આઝાદી ની લડત વખત નો માહોલ અનુભવ્યો હતો તે બાપુ નેસાહજિકપણે સમજી શકયા હતાઅને તેમના પછીની પેઢી ને તેમનાં અનુભવના ભાથામાં શક્ય હતું તે પીરસ્યું હતું,. પાઠયપુસ્તક ના અભ્યાસક્રમ માંપણ આવરી લેવામાં આવ્યું હતું તેથી તેમનેગાંધીજી ની વાતો અતિશયોક્તિભરી લાગી નથી.

હવે આજના વખતમાં એમના જમાનાના લોકો રહ્યા નથી, ઘરમાં એ પ્રકારનો માહોલ નથી તેથી યુવા વર્ગ અજ્ઞાનતાના અંધારામાં અટવાય છે. ગાંધીજી ની આત્મકથા થી યુવાપેઢી ને જ્ઞાત કરવાની જરૂર છે. તેમનાં જીવનમાં તબ્બકાવાર જે પરિવર્તન આવતા ગયા તેની જાણ યુવા પેઢીને કરીએ તો કદાચ ગાંધીજી ના અમોઘ શસ્ત્ર સત્ય અને અહિંસા હતા તે વાત માને . તેમને શરુઆતના વર્ષો માં ઘણી નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો, દરેક વખતે તેમાંથી ઘણું શીખ્યા, પોતાની ભૂલ સ્વીકારી ને સફળતા ને વર્યા તે બાબત આજની યુવા ને જણાવવાની જરૂર છે.

આજની પેઢી ના બાળકો ની કારર્કિદી નું ઘડતર વડીલો ની ઇચ્છા પ્રમાણે થાય છે. તેમના પર ઉચ્ચ કારર્કિદી ઘડવાનો બોજો બાળપણથી જ લાદવામાં આવે છે. તેમનું બાળપણ તો છીનવાઈ જ જાય છે. ગાંધીજી ડોકટર બનવા માંગતા હતા પણ રૂઢિચુસ્ત પરિવાર મડદાં ની ચીરફાડ ની વિરુદ્ધ હોવાથી તેમણે ઇચ્છા દબાવી દીધી. કુટુંબના ભરણપોષણની પણ તેમના પર જવાબદારી એટલે પિતા ના વારસદાર તરીકે રાજ્ય ના દીવાન બનવા તરફ વિચારવું જોઈએ તેવું દબાણ થયું, વહીવટી લાયકાત માટે વકીલ થવું જરૂરી હતું એટલે દેવું કરીને વિલાયત ભણવા ગયા . વકીલ તરીકે શરૂઆતમાં નિષ્ફળ ગયા ત્યારે પહેલી નોકરી કારકુન તરીકે સ્વીકારી. યુવાનોને સમજાવવાની તાતી જરૂર છે કે વિલાયત થી વકીલ થઇને આવેલો કારકુની સ્વીકારેછે. કેવા વિપરીત સંજોગો હશે તે વિચારવું જ રહ્યું . દક્ષિણ આફ્રિકની નોકરી, સહન કરેલાં રંગભેદ આ કંઇ સામાન્ય કઠણાઇ નહતી.

જ્યારે દક્ષિણ આફ્રિકામાં પ્રથમ આશ્રમ સ્થાપ્યો ત્યારે તેમનાં કાર્યમાં જોડાવવાની યુવાનોને પ્રેરણા મળે એ હેતુ થી તેમના બે યુવાન પુત્રો હરિલાલઅને મણીલાલ ને માથે જવાબદારી નાંખી.પાછળથી કસ્તુરબા પણ જોડાયા. સત્ય નાપ્રયોગો પણ પોતાના પર ને પોતાના કુટુંબ પર જ કર્યા. તેના કારણે જીવનના જે મૂલ્યો પામ્યા તે ભારતની આઝાદી માટે કરેલાં સત્યાગ્રહ હતા. બાપુ એ દેશ ની આઝાદી માટે યુવાનો ને હાકલ કરી હતી, જેના કારણે નહેરું, સરદાર, મહાદેવ દેસાઇ જેવા તેમની સાથે જોડાયા. દેશની આઝાદી માટે તેમણે યુવાશક્તિ જ લગાડી હતી.

આજના યુવા વર્ગ માં ખોટી ભ્રમણા પ્રર્વતે છે કે બાપુ એ ભગતસિંહ ને અન્યાય કર્યો હતો, તેમણે તેને બચાવવાનો પ્રયત્ન કર્યો નહતો , તેમને ક્રાંતિકારી પ્રવૃત્તિ માટે વાંધો હતોતેમની સાથે જોડાયા હોત તો ઇતિહાસ જુદો હોત. સુભાષ બાબુ પણ શરૂઆતમાં તેમની સાથે હતા, તેમણે આઝાદી માટે ગાંધીજી એ અખત્યાર કરેલાં માર્ગની દિશા બદલવાનું સૂચન કર્યું, વૈચારિક મતભેદને કારણે જુદા પડયા, પણ ગાંધીજી એ તેમના માર્ગ માં ક્યારેય અવરોધ ઉભો નહતોકર્યો. ગાંધીજીજાણતા હતા આઝાદી માટે બધાં રસ્તા અપનાવવા પડશે, પણ તેમણે પોતે નક્કી કરેલાં માર્ગ પર જ ચાલવું પસંદ કર્યું હતું . તેમના વિષે યુવાનો માં ફેલાયેલી ભ્રામક વાતો દૂર કરવાની જવાબદારી આપણાં સૌની છે.

આઝાદી ની જુવાળમાં સેંકડો યુવાનો જોડાયા હતા , તેમના બાપુ સાચા દિશાસૂચક બન્યા હતા. તેમનાજીવનમાંથી પ્રેરણા લાઇને સેંકડો યુવાનો ની જિંદગી ઘડાઇ આ બાબત પ્રકાશમાં લાવવી જોઇએ જેથી આજની યુવા પેઢી તેમાંથી માર્ગદર્શન મેળવે.

આપના આજના વક્તવ્ય થી ચોક્કસ તમારી વાત યુવા પેઢી સુધી પહોંચશે.

આપનો ખૂબ ખૂબ આભાર તુષારભાઈ

કોકિલાબહેન અને તેમના પરિવારના સભ્યો નો ખૂબ ખૂબ આભાર

----------- સ્વાતિ દેસાઈ