
22 May 2022 | 09:00 pm IST | 04:30 pm UK | 11:30 am EST (USA) | 10:30 am CST | 08:30 am PST
About
Speaker
Famous Gujarati poet Shri Tushar Shukla has studied Literature and Linguistic science. He joined All India Radio as an announcer and retired voluntarily as a director of AIR Rajkot. Since then, he has devoted himself to serve literature and Mother tongue Gujarati.
He has authored about 30 books. Of these, the books containing his poems and offering solutions of family problems form a majority. He also gives talks about married life and Child upbringing.
His poems have been sung by many known singers, famous Music duo, Shyamal- Saumil have created a special CD in which singers like Kavita Krishnamurti and Rupkumar Rathod have lent their voice to Mr. Shukla’s poems.
He has written songs and dialogues for TV programs and Gujarati films. Government of Gujarat has awarded him as the ‘Best Lyricist’ thrice. His poems have been included in the text books of Gujarat and Maharashtra state.
He has written ‘University Song’ for Gujarat University, Gokul Global University and Teacher’s university.
In last four decades, Mr. Tushar Shukla has arranged many Musical and Poetry recital programs in India and abroad. He has a special knack for compeering a program.
In addition to his contribution as a writer in Radio, Theatre, TV and Films, he is also a columnist of dailies Gujarat Samachar and Divya Bhaskar.
Divya Bhaskar newspaper and Chitraklekha magazine have given him the award of ‘Gauravvanta Gujarati.’ . In addition, he has been recognized as the ‘Times person of the year. He has got TIMA award due to his portrayal of Sensitivity and respect towards Women in his poems. He has been conferred with ‘Gujarat Ratna Award’. Recently, Feelings magazine has included Mr. Shukla as one of the 500 influential Gujaratis. Chitralekha magazine has mentioned about him in its special issue.
Mr. Shukla teaches at Journalism at Gujarat university and R J training center of L J College. He also imparts training at regional training center of All India Radio.
He has acted as a guest artist in films Be yaar, Shubharambh, Vtamin C and Loveni Bhavai. He has acted as a model in the advertisement of HOF company.
Tushar Shukla has been involved in various media through communication. He has also received accolades and honors from many social groups
Pratibhav
પ્રતિભાવ
ગુજરાતી સાહિત્ય ફોરમ તેના પીંછામાં વિવિધ રંગો સમા વિષયો ના વક્તવ્યો ની રસલહાણ કરી સમાજ ને ઉત્તમ સંદેશ આપવા સતત પ્રયત્નશીલ છે, તેના ભાગરુપે આયોજીત વક્તવ્યના વક્તા એટલે તુષારભાઈ શુકલ . વ્યક્તિ ના સંબંધો પર અદ્દભૂત વક્તવ્ય એમણે આપ્યું. દાંમ્પત્ય જીવનને સ્પર્શતા ખૂબ જ નાજુક વિષય પર તેમના પ્રભાવશાળી વક્તવ્યથી શ્રોતાજન અભિભૂત થયા વગર રહી ન શકયા .
કંઈ કેટલાંય અટપટા પ્રશ્નોના ઉકેલ વક્તવ્યમાં થીઆપમેળે જ મળી ગયા.
દાંમ્પત્યના જીવન દરમ્યાન ઘણાં ઉતાર ચડાવ આવે. એકસરખા દિવસો તો ન જ રહે. લગ્ન પહેલાં ફિલ્મો ને નાટકો જોઈ દાંમ્પત્ય જીવનના રંગીન સપના મનમાં વસાવ્યા હોય, શરુઆતના દિવસો માં એવો પ્રેમ અનુભવાય પણ સમય જતાં કલ્પના ના। ઘોડા જમીન પર પગ માંડે એટલે વાસ્તવિકતા નો અનુભવ થાય. સતત એમ લાગે પહેલાં જેવું નથી. બદલાયેલા સંજોગો ને આધીન સ્વીકારવૃતિ નો સદંતર અભાવ નિરાશા ની ગર્તા માં ધકેલે છે. દાંમ્પત્યના 25 વર્ષ થાય એટલે સંબંધોમાં કટોકટી આવે. પરિવારના બાળકો , આડોશપાડોશના બાળકો પણ યુવાન થઈ લગ્ન સંબંધ માં ગોઠવાયા હોય , તેમનામાં સહન શક્તિનો અભાવ હોય, પડ્યું પાનું નિભાવી લેવાની વૃત્તિ નો તો સદંતર। અભાવ હોય, તેમની રોજિંદી ચણૃભણ વડીલોના કાને પડે, એટલે તેમને દુ:ખ થાય, પણ ચુપ રહેવું જ યોગ્ય માને. પતિ પત્ની વચ્ચેની સમજણનો અભાવ, ને હવે પહેલાં જેવો પ્રેમ રહ્યો નથી, એવું પણ અનુભવાય, અને આ કંટાળો ને અભાવ ક્યારેક છૂટા પડવા પણ પ્રેરે. દાંમ્પત્ય જીવનની આ કટોકટી વર્તમાન સમયનો મહત્વનો સામાજિક પ્રશ્ન છે.
દાંપત્ય જીવનના જવાબદારીપૂર્ણ સંબંધ ને પહેલે થી સમજવાનાં આવે, ખટરાગ થાય તો મૂળ સુધી જઈ ઉકેલ શોધવામાં આવે તો, લગ્ન નામની વ્યવસ્થા નું ગૌરવ સચવાય. વિખવાદ ને પકડી રાખવાથી કંશું જ હાંસલ થવાનું નથી. અહંમના ટકરાવમાં માત્ર એક પક્ષ મમત છોડે, તો સંબંધો સચવાય છે ને સુમેળભર્યા થાય છે.
આ સાવ સાદી વાત થઈ. સોક્રેટીસે મનોવિજ્ઞાન ના આધારે સુંદર વાત કરી છે . જ્યારે સંબંધ માં પ્રેમનો અભાવ અનુભવાય ત્યારે ,જૂના પ્રેમભર્યા દિવસો યાદ કરવાથી પ્રેમ ફરીથી જાગ્રત થાય છે.
લગ્ન વ્યવસ્થામાં એકબીજાનાં અસ્તિત્વ અને વ્યક્તિત્વનો સ્વીકાર એ સુખી લગ્નજીવન નો પાયો છે. બંને જણ નો ઉછેર જુદી જુદી કયારિયોમાં થયો છે, પુરુષ ની ક્યારી એ જ રહે છે, બીજી ક્યારીની છોડ રુપી કન્યા (સ્ત્રી) એ નવા ક્યારા રુપી માહોલમાં ગોઠવાવાનું છે, ત્યારે ઘરના તમામ સભ્યો નો સાથ જરુરી છે. બંને પક્ષે adjustment હોય તો લગ્નજીવન સુખી નીવડે છે. વર્તમાન યુગલો સમાનતા માં માને છે, અનુકુલનના પ્રશ્નો છે તેથી વિસંવાદિતા ઉદ્દભવે છે.
જ્યારે આપણાં ઘરના દાદા દાદીના લગ્ન સંબંધો પર નજર નાખતા જણાય છે કે તેઓ સંવાદિતા સાધી શકયા છે. બંને વચ્ચે વાતચીત નું પ્રમાણ નહીંવત હોય છે, પણ સાથ ભર્યો ભર્યો હોય છે . નિવૃત જીવન જીવતા વડીલો એકબીજાના સહારે જીવે છે, થોડા સમયની ગેરહાજરી પણ સહન કરી શકતા નથી. તેમણે સંબંધની ગૂંથણી કરી જાણી છે. વર્તમાન યુગલો મકાન બાંધે છે પણ માળા જેવા ઘર બનાવીશકતાનથી તેમાં મુખ્યત્વે સમજણ નોઅભાવ નેસામસામા અહંમના ટકરાવ ને કારણે મકાન ક્યારેય ઘર બનતું જ નથી. કંઈક તો અણગમતું હોય જ તેને નિભાવી લેવું, એકબીજાંને space આપવી તેને જ કહેવાય સફળ દાંમ્પત્ય. વસંત વીતી ગઈ છે, પણ પાનખરમાં પણ પ્રેમાળ સંબંધ સચવાયેલો છે, માળા જેમ ગુંથાયેલો સંબંધ વાસ્તવિકતા સાથે તાલ મિલાવી શકે છે.
માટે જ પાનખર એ વસંતનો પાસપોર્ટ છે .
ખરેખર તુષાર ભાઈ આપે વર્તમાન સામાજિક પ્રશ્નો પર ખૂબ જ સુંદર રીતે પ્રકાશ ફેંક્યો. આપનો ખૂબ ખૂબ આભાર. ફરીથી આપના વક્તવ્યનો લાભ મળે તેવી આશા સહ.
ખૂબ ખૂબ આભાર કોકિલા બહેન અને પરીવારના સભ્યો નો
-------- સ્વાતિ દેસાઈ